જામનગરમાં બની રહેલા સૌરાષ્ટ્રના પ્રથમ ઓવરબ્રિજને લાગ્યું ગ્રહણ.!: થયો ધડાકો: ૩ દાઝ્યા.

0
1828

બોરીંગ વખતે 2 ફુટના ખાડામાં વાયર ખુલી ગયો: 3 મજૂરો ધાયલ

ઓવરબ્રિજના કામમાં જેટકોની લાઇનમાં પંક્યર કરતા થયો ધડાકો

સવારે સાત વાગ્યાની આસપાસનો બનાવ

જામનગરના ગુરુદ્વારા નજીક થઈ રહેલા ઓવરબ્રિજના કામમાં વ્હેલી સવાર બની દુર્ઘટના જેમા ત્રણ મજુરો દાઝી જતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકમજૂરની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે.

જામનગર શહેરમાં બની રહેલા સૌરાષ્ટ્રના પ્રથમ ઓવરબ્રિજના કામને ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક વિઘ્નો શરૂ થયા છે

અંડરગ્રાઉન્ડ બોર કરવાના કામ વેળાએ ઈલેક્ટ્રીક વાયર નો ગુછો ખુલી જતા લોકો ગંભીર રીતે દાઝ્યા છે જેમાં એકની હાલત ગંભીર છે આ બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગઈ

જામનગર શહેરના વિક્ટોરિયા પૂલથી સાત રસ્તા સુધી બની રહેલા ઓવરબ્રિજનું કામ ચાલુ થઈ ગયું છે આ કામ મહેસાણાની રચના કંપનીને આપવામાં આવ્યું છે

આ કંપની દ્વારા સાત રસ્તા થી અંબર ચોકડી સુધીમાં બોરિંગ નું કામ ચાલુ હોય ત્યારે સવારના સાત વાગ્યાની આસપાસ મેટ મશીનથી બોરિંગની કામગીરી ચાલતી હતી ત્યારે જેટકોના 66 Kv ના વાયરને બોરિંગ અડી જતા અકસ્માત સર્જાયો તેમા અચાનક થયેલા ધડાકામાં ત્રણ લોકો દાઝી ગયા હતા

જેમા મનતોસ બિશ્વાસ ઉ.વ .22 , લેબર ઇરફાન જહાંગીર ઉ વર્ષ – 19 અને  મોહઝફર રહેમાન ઉ.વ 19, ને જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે એકની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે ધડાકાના પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સાથે મનપાનું કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો