કાલાવડમાં એગ્રોના વેપારી પાસેથી નાણા પડાવવાના પ્રકરણમાં ડુપ્લીકેટ પત્રકાર સહિત 2 ની ધપકડ

0
860

કાલાવડ : એગ્રોના વેપારી પાસેથી પત્રકારની ઓળખ આપી નાણા પડાવવાના પ્રકરણમાં બેની ધપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: કાલાવડ ટાઉનમાં એગ્રોની દુકાન ચલાવતા વેપારી ચંદુભાઈ રવજીભાઈ ડોબરીયાએ પોતાની દુકાનમાં નકલી દવાનું વેચાણ થાય છે, તેમ કહી રેડ પડાવવાની ધમકી આપી પચાસ હજાર રૂપિયાની માંગણી કરવા અંગે પસાયાબેરાજાના વતની હિતેશ ભીખુભાઈ ડોબરીયા અને તેના એક સાગરિત સામે ફરિયાદ નોંધાવી હતી.

જે પ્રકરણની તપાસ કાલાવડ પોલીસ દ્વારા આગળ ધપાવવામાં આવી હતી, અને આરોપી હિતેશ ભીખુભાઈ ડોબરીયાને પકડી લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત તેના સાગરીત એવા પસાયાબેરાજા ગામના વતની ચંદ્રેશ રતિભાઈ પટેલની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.

જે બંનેના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી તેઓને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.