જામનગરમાં માનસીક બીમારીથી કંટાળી નેપાળી યુવાનની આત્મહત્યા

0
367

જામનગરમાં માનસીક બીમારીથી કંટાળી નેપાળી યુવાનની આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરમાં શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં એક કારખાનામાં રહીને ચોકીદારી કરતા રાજુભાઈ વીરબહાદુર સુનાર નામના 45 વર્ષના નેપાળી યુવાને ગઈ કાલે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યાં મોડી સાંજે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે શંકર ટેકરી વિસ્તારમાં રહેતા સેતુભાઈ ભોલેભાઈ નરબહાદૂર નેપાળી એ પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

નેપાળી યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો. જેનાથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જણાવાયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.