498-એના કેસમાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર SOG

0
1002

498-એના કેસમાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર એસ.ઓ.જી

જામનગર: પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લા શહેરોના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા સા. ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી આર.વી.વીંછી તથા પો.સ.ઈ. વી.કે.ગઢવીના નેત્રુત્વ વાળી ટીમના હર્ષદભાઈ ડોરીયા તથા હિતેશભાઈ ચાવડા તથા દિનેશભાઈ સાગઠીયાને ખાનગી બાતમી મળેલ કે, જામનગર કે સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન સેક્ધડ ગુ.ર.ન. 394/ર009 ઇ.પી.કો કલમ 498(એ), 114 મુજબના ગુનાના કામેના છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા આરોપી તુલષીભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ રહે શંકરટેકરી, જામનગર વાળા હાલ પોતાના ઘરે પાસે હાજર છે જે બાતમી મળતા તુરતજ સદર જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોકત બાતમી વર્ણન વાળો ઈસમ સદર જગ્યાએ ઉભેલ હોય જેથી તુરતજ તેને કોર્ડન કરી પકડી લીધેલ અને આગળની કાર્યવાહી માટે જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે.માં સોપી આપેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા પો.સ.ઈ. વી.કે.ગઢવી સા.ની સુચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.