જામનગરના સંઘાડિયા બજારની દુકાનમાં ખાતર પાડતા તસ્કર : રૂા. 93 હજારથી વધુની ચોરી

0
655

જામનગરના સંઘાડિયા બજારની દુકાનમાં ખાતર પાડતા તસ્કર:રૂા. 93 હજારથી વધુની ચોરી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
જામનગરમાં લીંડી બજાર વિસ્તારમાં રહેતા અને સંઘાડીયા બજાર માં સુપર ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા હસનભાઈ અબ્દુલકાદર મેમણ એ પોતાની દુકાન માંથી કોઇ તસ્કરો શનિવારની રાત્રિ દરમિયાન રૂપિયા એક લાખની રોકડ રકમની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી શનિવારે રાત્રે પોતાની દુકાનને તાળુ મારીને ઘેર ગયા દરમિયાન ગત મોડીરાત્રીના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમની જૂની દુકાનનું લાકડા નું બારણું ખોલી નાખી અંદર લાકડાના ટેબલના ખાના માં રાખવામાં આવેલી વેપારની રૂપિયા 7 હજારની રોકડ રકમ તેમજ દાન માટે ભેગા કરેલા રૂપિયા 93,500 વગેરેની કોઇ તસ્કરો ચોરી કરી લઇ ગયા હતા.

જે ફરિયાદના અનુસંધાને દરબાર ગઢ પોલીસ ચોકી ના સ્ટાફે સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.