જગત મંદિર દ્વારકા પરિસરમાં રેલ્વે બુકીંગ કાઉન્ટર બંધ થયેલ તે સુવિધા પુન: શરૂ કરાવતા સાંસદ પૂનમબેન માડમ

0
787

જગત મંદિર દ્વારકા પરિસરમાં રેલ્વે બુકીંગ કાઉન્ટર બંધ થયેલ તે સુવિધા પુન: શરૂ કરાવતા સાંસદ પૂનમબેન માડમ

જામનગર: દ્વારકા જગત મંદિર પરિસરમાં રેલ્વે રીઝર્વેશન કાઉન્ટર બંધ હોવાની વિગતો હાલમાં નવી દિલ્હી ખાતે ચોમાસુ લોકસભા સત્રમાં વ્યસ્ત સાંસદશ્રી પૂનમબેન માડમ સમક્ષ રજુ થતા તુરંત જ સાંસદશ્રી પૂનમબેન એ ડી.આર.એમ.-વેર્સ્ટન રેલ્વે-રાજકોટને રેલ્વેની બંધ રહેલી આ બુકીંગ બારી તાત્કાલીક શરૂ કરવા સુચના આપતા ડી.આર.એમ., રાજકોટના જણાવ્યા મુજબ બી.એસ.એન.એલ. કનેકટીવીટીના પ્રશ્ર્નના કારણે બારી બંધ હોવાની વિગતો જણાવતા સાંસદએ ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી, બી.એસ.એન.એલ.ને જે કોઈ ટેકનીકલ ફોલ્ટ હોય તે સત્વરે દુર કરાવવા સુચના આપતા રેલ્વે અને બી.એસ.એન.એલ. બન્ને વિભાગો દ્વારા સંયુકત રીતે કામગીરી હાથ ધરી અને ફોલ્ટ દુર કરતા જગત મંદિર દ્વારકાના પરિસરની રેલ્વે રીઝર્વેશન કાઉન્ટર આવતી કાલ તા.07/08/2021 થી પુન: કાર્યરત થશે. સાંસદ પુનમબેન માડમના પ્રયાસોથી આવતીકાલથી શરૂ થનાર રીઝર્વેશન બારીના લીધે યાત્રીકો અને સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપેલ છે.