કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય ચૂકવશે

0
336

કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય ચૂકવશે

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર: ગુજરાતની રૂપાણી સરકારે કોરોનામા મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના પરિવાજનો માટે મોટો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી આ પરિવારને મોટી રાહત થશે. મૃતકના પરિજનને સહાય ચૂકવવાની મજૂરી હવે ઝડપીથી મળશે.

રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીના મૃત્યુ બાદની સહાયની મંજૂરી આપવાની સત્તા જે તે વિભાગના વડા ને સોંપવામાં આવી. અત્યાર સુધી આ મંજૂરીની સત્તા નાણાં વિભાગ પાસે હતી, જેના કારણે ઘણા કિસ્સાઓમાં વિલંબ થતો હતો.

કોરોનામા મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓને 25 લાખ રૂપિયાની સહાય ચૂકવા માટે સરકારે નિર્ણય કરેલ છે.