સજોડે કોરોના પ્રતિરોધક રસી મૂકાવતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

0
444

સજોડે કોરોના પ્રતિરોધક રસી મૂકાવતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ

જામનગર: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ધર્મપત્ની સહ યુ.એન.મહેતા, અમદાવાદ ખાતે કોરોના પ્રતિરોધક રસી મૂકાવી હતી.

રાજ્યમંત્રીશ્રીએ કોરોના માર્ગદર્શિકાના પાલન સાથે આ રસી લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રી અગાઉ કોરોના પોઝીટિવ આવેલ હતા તેમજ માર્ગદર્શિકા અનુસાર પૂર્ણત: સ્વસ્થતા મેળવ્યા બાદ તેમણે રસી લઇ અન્યોને પણ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાના પાલન સાથે રસી લેવા પ્રેરણા આપી હતી.