જામનગર શહેરના પટેલ કોલોનીમાં 15 વર્ષના તરૂણની આત્મહત્યાથી ચકચાર : પરિવારમાં માતમ

0
711

જામનગરની પટેલ કોલોનીમાં અગમ્યકારણોસર તરૂણની આત્મહત્યા

જામનગર : જામનગરની પટેલ કોલોની શેરી નંબર 9, રોડ નંબર 10 રહેતા ઇનાયત ફિરોજભાઈ કોરેજા ઉમર વર્ષ 15 નામના તરુણે પોતાના ઘરે પંખાના હૂક સાથે ઓઢણી વડે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે ફિરોજ અબુબકરભાઈ કોરેજા દ્વારા સીટી બી ડિવિઝનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા ક્યા કારણોસર બનાવ બન્યો તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

તરુણના મૃત્યુના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.