જામનગરમાં વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપી લેતી SOG.

0
479

જામનગર : વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી.

જામનગર : જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રનની જામનગર જીલ્લાના નાસતા ફરતા તેમજ પેરોલ ફર્લો ફરારી તથા વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને પકડવા અંગે સુચનાથી એસ.ઓ.જી. ના પો.ઇન્સ. એસ.એસ.નીનામાના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઇં. આર.વી.વીછી તથા વી.કે. ગઢવી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પટ્ટાલીંગમા હતા, દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના રમેશભાઈ ચાવડા તથા મયુદિનભાઇ સૈયદ તથા સંદિપભાઈ ચુડસમાને ખાનગી રાહે હકિકત મળેલ કે, ફોજદારી કેસ નંબર 521/2018 તથા જામનગર જેલના આરોપી નંબર- 195/2021 ના કામના આરાપી મહેશ ઉફે ચુપા ટપુભાઇ મકવાણા રહે, ત્રણ દરવાજા મેઘવારવાસ હમીરભાઇ મેરના મકાનમા, જામનગર વાળો વચગાળાના જામીન પરથી ફરાર હોય અને તે ત્રણ દરવાજા મેઘવારવાસ લીમડા ઝાડ નીચેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી થવા માટે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાત સોપી આપેલ છે. આ કાર્યવાહી પો.ઇન્સ. શ્રી એસ.એસ.નીનામા તથા પો.સ.ઇ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી અસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે.