જામનગર નજીક આવેલ સરમત દરિયામાં વિશાળ માછલી માણસને ગળી ગઈ.! તપાસનો વિષય

0
1695

જામનગર નજીક આવેલ સરમત દરિયામાં વિશાળ માછલી માણસને ગળી ગઈ.!

જામનગર નજીક આવેલ શરમતના રસુલનગર ની ઘટના.

છેલ્લા કેટલાય સમયથી સરમતની ખાડીમાં વિશાલકાય માછલી ચડી આવેલ હોવાનું ગ્રામજનોનું કહેવું.! માણસને ગળી ગઇ હોય તેવી પ્રથમ ઘટના : ગંભીર

20 દિવસ પહેલા માછીમારી કરવા ગયેલો યુવાન બન્યો લાપતા.!
દેવી ન્યુઝ નેટવર્ક : જામનગર નજીક આવેલ સરમતની ખાડીમાં માછીમારી કરવા ગયેલો આદમ ઓસામણ સુંભણીયા નામનો ૪૭ વર્ષીય યુવાન છેલ્લા વીસ દિવસથી લાપતા બની જતા પરિવાર ચિંતામાં ગરકાવ.20 દિવસ પહેલા માછીમારી કરવા ગયેલો યુવાન આજ દિન સુધી પરત ન આવતાં અને સરમતની ખાડીમાં વિશાળકાય માછલી હોવાના કારણે કોઈ માછીમારો માછીમારી કરવા જતા નથી  રસુલનગરમાં ડરનો માહોલમાછીમારી કરવા ગયેલો આમદ ઓસમાણ સુમણીયાની હોડી અને ઝાળ સહિતની સામગ્રી ખાડી નજીકથી મળી આવી છે. પરંતું યુવાનના શરીરના કોઈ અવેશષ મળ્યા નથી.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે દરિયાની અંદર કોઈપણ વ્યક્તિ ડૂબી જાય તો તેની લાશ બે-ત્રણ દિવસની અંદર કાંઠેથી મળી રહેતી હોય છે પરંતુ આમદની બોડી કે અવશેષો આજ દિવસ સુધી મળ્યા નથી

હાલ લાપતા બનેલા યુવાનને પરીવારમાં ૬ સંતાનો છે. અને માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.