મોરારસાહેબના ખંભાલીડા માં ખુલ્લા કૂવામાં પડી જતાં ત્રણ બાળકોના મૃત્યુ.
જામનગર નજીકની કરુણાંતિકા બાળકોની લાશ કૂવામાંથી કઢાઈ.
મૂળ દાહોદ જિલ્લાના શ્રમિક પરિવાર પર કાળનો ક્રૂર પંજો.
મોરારીદાસ ખંભાલીડા ખાતે નો બનાવ સામૂહિક આપઘાત નો પ્રયાસ કે અન્ય કારણ ભારે અરેરાટી સાથે શોક
ફાયરની ટીમ દ્વારા ત્રણેય બાળકોની લાશ કૂવામાંથી બહાર કઢાઈ લોકોના ટોળા ઉમટી પડ્યા
પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
જામનગર ની ભાગોળે મોરાર દાસ ખંભાલીડા ગામે કરુણાંતિકા સર્જાઇ કૂવામાંથી એક પછી એક ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી બનાવના પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા અને જામનગર થી પોલીસ તથા ફાયરની ટીમ તાબડતોબ દોડી આવી હતી
બનાવ સામૂહિક આપઘાત પ્રયાસનો છે કે અન્ય કોઈ કારણ..!
આ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે અને સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માતાએ ત્રણેય બાળકોને ફેંકી દઈને તેણીએ કુવામાં ઝંપલાવ્યું હાલ તો હૈયુ મચાવતા બનાવે ભારે અરેરાટી ફેલાવી છે.