જામનગમાંથી 600 ગ્રામ ચાંદીનો ભંગાર-રોકડ સહિત રૂા.1.48 લાખના મદ્દામાલ સાથે બે વ્યક્તિની ધરપકડ કરતી LCB

0
643

જામનગમાંથી 600 ગ્રામ ચાંદીનો ભંગાર-રોકડ સહિત રૂા.1.48 લાખના મદ્દામાલ સાથે બે વ્યક્તિની ધરપકડ કરતી એલસીબી

જામનગર : જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી. ના પોલીસ હેડ કોન્સ વનરાજભાઇ મકવાણા તથા ફીરોજભાઇ દલને મળેલ હકિકત આધારે જામનગર શહેરમા ચાંદી બજાર ગીગાભાઇ ભેળ પાસેથી (1) આશીફ દોસમામદ ખફી રહે.દરેડ તા.જી જામનગર (ર) આશીફ અલારખા ખફી રહે.મસીતીયા તા.જી જામનગર વાળાના કબજામાંથી ચાંદીનો જુના વાસણ 600 ગ્રામ કિ.રૂ.28.000/- તથા રોકડ રૂ.80,000/- તથા મોબાઇલ ફોન-ર તથા એકસેસ મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.1.48.000/- ની ગણી બીલ આધાર વગરનો શક પડતી મિલ્કત તરીકે કબજે કરી મજકુર વિરૂઘ્ધ એ.એસ.આઇ. માંડણભાઇ વસરા એ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા નાઓની સુચના થી પો. .સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઇ વસરા,અશ્વિનભાઇ ગંધા,હરપાલસિંહ સોઢા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર,યશપાલસિંહ જાડેજા,ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલવાડીયા, વનરાજભાઇ મકવાણા, હરદિપભાઇ ધાધલ,ધાનાભાઇ મોરી,રધુભા પરમાર, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.