જામનગરના સાંઢિયા પૂલ નજીક ઉઘરાણી બાબતે બબાલ : સામ-સામી ફરિયાદ
જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ ઉર્ફે વિજય ગોવિંદભાઈ ઓડીચ, ઉ.વ.રપ, રે. સાંઢીયા પુલ પાછળ, ગોકુલધામ સોસાયટી, વાછરડાડાના મંદિરની પાછળ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.2-7-2021 ના સાંઢીયા પુલ પાસે, કોપરસીટી બિલ્ડીંગના ગેઈટની સામે, જામનગરમાં આરોપી મેહુલભાઈ કિશોરભાઈ પરમાર એ ફરીયાદી રાજુભાઈ ના ભાઈ ત્રીસ હજાર રૂપિયા માંગતા હોય જે રૂપિયા ફરીયાદી રાજુભાઈ તથા તેના ભાઈ આરોપી મેહુલભાઈ કિશોરભાઈ પરમાર પાસે રૂપિયા માંગવા જતા તેને કહેલ હાલ મારી પાસે રૂપિયા નથી થાશે ત્યારે આપીશ તેમ જણાવતા આરોપી મેહુલભાઈ કિશોરભાઈ પરમાર ઉશ્કેરાઈ જઈ ફરીયાદી રાજુભાઈ ને માથામાં લાકડાના ધોકાનો એક ઘા મારી ઈજા કરી આરોપી કપીલ કિશોરભાઈ પરમાર એ ફરીયાદી રાજુભાઈને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી બંન્ને આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી છે.
તો સામે રાજુભાઈ ઉર્ફે વિજય ગોવિંદભાઈ ઓડીચ, ઉ.વ.રપ, રે. સાંઢીયા પુલ પાછળ, ગોકુલધામ સોસાયટી, વાછરડાડાના મંદિરની પાછળ, જામનગરવાળા અને અજયભાઈ ગોવિંદભા ઓડીચ સામે ફરીયાદી મેહુલભાઈ કિશોરભાઈ પરમાર એ પણ મારમારી ઈજાઓ પહોંચાડવા અંગે વળતી ફરીયાદ નોંધાવતા સીટી-સી ડિવીઝન પોલીસ સ્ટેશનનનાં પી.એસ.આઈ. એન.વી.હરીયાણીએ આ અંગે તપાસ હાથ ધરી છે.