કોરોનામાં અકાળે મૃત્યુ પામેલા જીવાત્માઓના મોક્ષ માટે શાંતિયજ્ઞ કરતું બ્રહ્મ સમાજ.

0
283

જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્તુત્ય કાર્ય: કોરોનામાં અકાળે મૃત્યુ પામેલા જીવાત્માઓના મોક્ષ માટે શાંતિયજ્ઞ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક નમસ્કાર જામનગર : કોરોના જેવી વૈશ્ર્વિક મહામારીનોભોગ પુરા વિશ્ર્વ સહિત ભારત પણ સપડાયેલ છે.

આ મહામારી એટલી જીવલેણ છે કે અમુક અકાળે મૃત્યુ પામેલા જીવાત્માઓની પોતાના પરિવાર દ્વારા પણ હિન્દી વિધી પ્રમાણેઅંત્યેષ્ઠી (અંતિમ સંસ્કાર) થયા નથી.

એવા જીવાત્માઓને સંપૂર્ણ  મોક્ષ મળે અને પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ અર્પે તથા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં સ્થાન મળે એવા માનવ કલ્યાણના સદ્વિચારથી જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ  કાશી વિશ્ર્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગર ખાતે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તેમાં બ્રહ્મ સમાજના ભાસ્કરભાઈ જોશી હિરેનભાઈ કનૈયા પ્રફુલભાઈ વાસુ જસ્મીન ધોળકિયા ધોળકિયા વૈશાલીબેન કનૈયા નિશાબેન અસવાર વૈશાલીબેન જોશી સહિતના આગેવાન જોડાયા હતા.