જામનગરના રણજીતસાગર મારું કંસારા નજીક બે યુવાનો ઉપર ૬ શખસનો હિચકારો હુમલાનો બનાવ હત્યામાં પલટાયો.

0
1026

જામનગરમાં બે યુવાનો ઉપર ૯ શખસનો હિચકારો હુમલાનો બનાવ હત્યામાં પલટાયો.

જૂની અદાવતમાં રણજીતસાગર રોડ ઉપર ધોકાવડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યાની ફરિયાદ થઈ હતી જેમા સબીર સલીમભાઈ ખીરાનું સારવાર માં મોત થતા ૩૦૭ હવે ૩૦૨માં તબદીલ થઈ.જામનગર: જામનગર ના રણજીત સાગર રોડ પરથી બાઈક પર પસાર થઇ રહેલા બે યુવાનો પર જૂની અદાવતના કારણે નવ જેટલા શખ્સો તૂટી પડયા હતા, અને ધોકા વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. પોલીસે છ આરોપીઓની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા અબ્દુલ કાસમભાઈ ખફી નામના બ્રાસપાર્ટના ધંધાર્થિ એ પોતાના ઉપર તેમજ પોતાના બાઈકમાં પાછળ બેઠેલા સાબીર નામના યુવાન પર લાકડાના ધોકા- લોખંડના પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી હાથ પગમાં ફેક્ચર કરી નાખવા અંગે જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા ઇમરાન અબુભાઈ, મુસ્તાક મહમદ ખફી, હાજી ઉર્ફે કયૂમ બસીરભાઈ ખીરા, અને મહેબૂબ ઉપરાંત અન્ય ચાર સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

બંને ઈજાગ્રસ્તોને 108ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જૂની અદાવતના કારણે આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર કર્યું છે. સીટી એ ડીવીઝન પોલીસે તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.જેમા તા.રપ-૦૬-૨૧ના રાત્રે સબી૨ સલીમભાઈ ખીરાનું મોત થતા હત્યાનો પ્રયાસ હત્યામાં પલટાતા હોસ્પિટલ ખાતે આગેવાન સહિતના ટોળા ઉમટી પડ્યા હતા.