જામનગરમાં પીજીવીસીએલના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી માર માર્યાની ફરિયાદ.

0
944

જામનગરમાં પીજીવીસીએલના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી માર માર્યાની ફરિયાદ.

જામનગર: જામનગરના પંચ બી પોલીસ સ્ટેશનમાં કાન્તીલાલ વસરામભાઈ ખાણઘર, ઉ.વ.36, ધંધો : પી.જી.વી.સી.એલ.માં આસીસ્ટનટ તરીકે નોકરી રે. ગોકુલનગર રડાર રોડ, રામનગર શેરી નં.ર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, નાઘુના ગામે, બાબુભાઈની અનાજ કરીયાણાની દુકાને ફરીયાદી કાન્તીલાલ પોતાની પી.જી.વી.સી.એલ.ની ફરજમાં નાઘુના ગામે ગયેલ હતા ત્યારે આ કામના ફરીયાદી કાન્તીભાઈ નાઘુના ભાગે બાબુભાઈની અનાજ કરીયાણાની દુકાને પાણી પીવા માટે ઉભા હતા ત્યારે આરોપી વિક્રમસિંહ રે. નાઘુના ગામવાળા દુકાને બેઠા હતા. તેને ફરીયાદી કાન્તીલાલ ને કહેલ કે બે દિવસ પહેલા મારો ફોન કેમ ઉપાડેલ નહી તેમ કહી આરોપી વિક્રમસિંહે ફરીયાદી કાંન્તીભાઈને ગાળો બોલી મોઢા ઉપર ઝાપટ મારી પેટમાં મુંઢમાર મારી ફરીયાદી કાન્તીભાઈની સરકારી ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધી પોલીસ તપાસ હાથ ધરી છે.