મોટા ભરૂડિયા ગામની સીમમાં ભૂલથી દવાવાળુ પાણી પી લેતા દરબાર યુવાનનું સારવારમાં મોત : રાજપુત સમાજમાં શોક.

0
693

મોટા ભરૂડિયા ગામની સીમમાં ભૂલથી દવાવાળુ પાણી પી લેતા દરબાર યુવાનનું સારવારમાં મોત.

જામનગર : લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં રહેતા ભૂપતસિંહ રાયબજી જાડેજા ઉમર વર્ષ 29 નામનો યુવાન ગત તારીખ 10 ના રોજ મોટાખડબાની જુના પાદર વાળી સીમમાં આવેલી પોતાની વાડી ખાતે હતા.

ત્યારે પાણીની તરસ લાગતા પાણી પીવા માટે ડોલ કે જેમાં દવાવાળું પાણી પી જતા સારવાર માટે અત્રેની જીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે.

યુવાનના મૃત્યુ ના કારણે પરિવારમા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી, જાહેર થયેલી વિગતોના આધારે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.