સૌરાષ્ટ્રના ધુરંધર ક્ષત્રિય આગેવાન અને ગોંડલ યુવા ભાજપના નેતા જ્યોતિરાદિત્યસિંહ જાડેજાનું અદકેરૂ સન્માન.
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.
જામકંડોરણા ક્ષત્રિય યુવાનો દ્વારા સન્માન સમારોહ યોજાયો.
કોરોના કાળમાં સેવાકીય કાર્યો કરનાર ક્ષત્રિય આગેવાનનું જામકંડોરણાના ગૌ સેવા સમિતી ટ્રસ્ટ અને શ્રી રાજપુત કરણી સેના જામકંડોરણાના યુવાનો દ્વારા સાલ ઓઢાડી સન્માનીત કરાયા.
રાજકોટ: સૌરાષ્ટ્રના ધુરંધર-સક્રિય ક્ષત્રિય આગેવાન અને યુવાનોના હૃદય સમ્રાટ એવા જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) જાડેજા ગોંડલ અને કૃષ્ણસિંહ જાડેજા મોડપર (સૌરાષ્ટ્ર પ્રમુખ કરણી સેના)એ જામકંડોરણા ના પીપરડી ગામ ખાતે યુવાનો ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પીપરડી ગામ ખાતે આવેલ ફાર્મ પર યુવાનો ને મળ્યા અને માર્ગદર્શન આપ્યું હતું.
કોરોના મહામારી માં કોરોના દર્દીના ઘરે ઘરે જઇ ને કરેલી સેવા તેમજ કોરોના દર્દીની સેવા માટે સતત ખડેપગે રહેલા ગોંડલ ભાજપ ના યુવા નેતા એવા શ્રી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ) નું જામકંડોરણાના ગૌ સેવા સમિતી ટ્રસ્ટ અને શ્રી રાજપુત કરણી સેના જામકંડોરણાના યુવાનો દ્વારા સાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ સાથે ગોંડલના ભાજપ ના યુવા આગેવાનોમાં જયદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા રાજકોટએ પણ ખાસ હાજરી આપી હતી. ઉપસ્થિત તમામ ક્ષત્રિય આગેવાનોએ યુવાનોમાં અદ્દભૂત ઉત્સાહ વધાર્યો હતો.
આ તકે ગૌ સેવા સમિતી ટ્રસ્ટ જામકંડોરણાના હોદેદારો અને શ્રી રાજપુત કરણી સેનાના હોદેદારોએ પણ ખાસ હાજરી આપી હતી.