ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલ ધો.12ની પરિક્ષા રદ્દ : રાજ્ય સરકારનો મોટો નિર્ણય.

0
459

ગાંધીનગર: ગુજરાત બોર્ડે ધોરણ 12ની પરીક્ષા રદ કરી છે.

ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલ ધો.12ની પરિક્ષા રદ્દ

વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી રૂપાણીએ કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે 1 જુલાઈથી ધોરણ 12ની પરીક્ષાની જાહેરાત કરી હતી. ગઈકાલે મંગળવારે, પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરાયુ હતુ.

પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.12 સાયન્સ,સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાની જાહેરાત કરી હતી. જેથી ગુજરાત સરકારે આજે બુધવારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવીને આ બાબતે શું કરવું એ અંગે વિચારણા કરી હતી.

આ વિચારણાના અંતે રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી છે.