ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે રૂા. 20 લાખના ખર્ચે નવી આર.ટી.પી.સી.આર. લેબનું લોકાર્પણ કરતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

0
421

ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે રૂા. 20 લાખના ખર્ચે નવી આર.ટી.પી.સી.આર. લેબનું લોકાર્પણ કરતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાપમાં રાજય સરકાર દ્વારા અપાયેલી સુવિધાથી દર્દીઓના સ્થાૂનિક કક્ષાએ રીપોર્ટ થઇ શકશે. 

દેવભૂમિ દ્વારકા: જનરલ હોસ્પિ ટલ જામ ખંભાળીયા ખાતે ગુજરાત સરકારશ્રી દ્વારા રૂા. 20 લાખના ખર્ચે આઇ.સી.એમ.આર. ના નિયમોનુસાર કોવિડ-19 ના દર્દીઓના નિદાન હેતુ નવી આર.ટી.પી.સી.આર. લેબ વિકસાવવામાં આવી છે.

જેનું આજે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રનસિંહ જાડેજાએ લોકાર્પણ કરી જણાવ્યુિ હતું કે છેવાડાના જિલ્લા દેવભૂમિ દ્વારકાને આર.ટી.પી.સી.આર. લેબ મળતા હવે જામનગર સેમ્પલ મોકલવાની જરૂરીયાત નહી રહે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ની જનતાની આરોગ્યહલક્ષી સુખાકારીમાં વધારો કરતું વિકાસશીલ સરકારનું પગલું બની રહેશે. 

ઉલ્લેાખનીય છે કે આ આર.ટી.પી.સી. આર. લેબમાં 24 કલાક એક માઇક્રોબાયોલોજીસ્ટત તથા છ લેબ ટેકનીશીયન સેવા માટે કાર્યરત રહેશે. આ મશીનની સેમ્પિલ ચકાસણીની ક્ષમતા 8 કલાકમાં નેવું (90) ની છે. જે તબકકાવાર પુલીંગ કરી વધારો કરવામાં આવશે. 

આ તકે કલેકટરશ્રી ડો. નરેન્દ્ર કુમાર મીના, જિલ્લાવ વિકાસ અધિકારીશ્રી ડી.જે. જાડેજા, જિલ્લાવ ભાજપ પ્રમુખ શ્રી ખીમભાઇ જોગલ, અગ્રણી શ્રી વી.ડી. મોરી, શ્રી પી.એસ. જાડેજા, જિલ્લાવ આરોગ્ય અધિકારીશ્રી સુતારીયા, પ્રાંત અધિકારીશ્રી ગુરવ, જનરલ હોસ્પિણટલના સુપ્રિન્ટેપડેન્ટ શ્રી મટાણી, મામલતદારશ્રી લુકા વગેરે ઉપસ્થિયત રહયા હતા.કરતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.