જામનગરની મુસ્લિમ પરણીતાને સાસરીયાઓનો સીતમ : ચાર વર્ષના પુત્રને લઈને પતિ ભાગી છૂટ્યો
-
પુત્રની શોધમાં સસરા ને ઘેર ગયેલી પરણીતા પર સાસુ- સસરા અને જેઠે પેટ્રોલ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ કરાયો
-
પોલીસે સાસુ સસરા અને જેઠ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી તમામની અટકાયત કરી લીધી
-
ફરીયાદી પાછળ કોઇ માસ્ટર માઈન્ડ કામ કરી રહ્યું છે કે કેમ ? તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.?
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ સપ્ટેમ્બર ૨૪, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષે પરણીતા ને તેણીના સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યો હતો. તેણીના ચાર વર્ષના પુત્ર સાથે પતિ છેલ્લા એક માસથી લાપતા બની ગયો છે. પોતાના પુત્રને શોધવા માટે સસરાના ઘેર ગયેલી પરણીતા પર સાસુ સસરા અને જેઠે પેટ્રોલ છાંટયું હતું, અને સળગાવવાનો પ્રયાસ થાય તે પહેલાં પરણીતા ત્યાંથી નીકળી ગઈ હતી, અને સિટી સી. ડિવિઝન પોલીસ મથકે આવીને સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે સાસુ સસરા અને જેઠ સહિતના ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે.
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી શહેનાઝબેન વસીમભાઇ ખફી નામની ૨૫ વર્ષની મુસ્લિમ પરણીતા કે જેનો પતિ વસિમ એકાદ માસ પહેલા ચાર વર્ષના પુત્ર ઓસમાણને લઈને ક્યાંક લાપત્તા બની ગયો છે. જે અંગે શહેનાઝ બેને અગાઉ સીટી સી. ડિવિઝન પોલીસમાં ગુમ નોંધ પણ કરાવી હતી.
પોલીસની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું, કે વસીમે શહેનાઝ બેન સાથે બીજા લગ્ન કર્યા છે. જેના પ્રથમ લગ્ન થકી કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અને કોર્ટમાં તેને હાજર થવું ન પડે, તે માટે પુત્ર સાથે લાપતા બન્યા છે.તે પુત્રની શોધખોળ માટે ગઈકાલે બપોરે પોતાના સસરા હાજીભાઈ ઓસમાણભાઈ ખફીના ઘેર ગઈ હતી. જ્યાં ઝઘડો થયા પછી સસરા હાજીભાઈ, સાસુ ઝુબેદાબેન અને જેઠ આસિફ ભાઈ હાજીભાઈ ખફી કે જે તમામેં તકરાર કરીને પેટ્રોલ છાંટી દીધું હતું.
જેને સળગાવી દેવાનો પ્રયાસ થાય તે પહેલાજ તેણી ત્યાંથી નીકળી ગઈ હતી, અને જામનગરના સીટી સી. ડિવિઝન નો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિરાજસિંહ.ડી ગોહિલે ત્રણેય સાસરિયાઓ સામે બીએનએસ કલમ ૧૧૦-(૧)૮૫,૩૫૧-(૩) અને ૩૫૨, ૬૧ મુજબ ગુનો નોંધ્યો છે અને સસરા હાજીભાઈ, સાસુ ઝુબેદાબેન અને જેઠ આશિફભાઈની અટકાયત કરી લીધી છે, જ્યારે પતિ વસીમ ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે