હાલારના 9 બંદરો પર 3 નંબર ના ભય સૂચક સિગ્નલો લગાવાયા

0
2787

જામનગર અને દેવભૂમિ-દ્વારકા ના તમામ ૯ બંદરો પર ૩ નંબર ના ભય સૂચક સિગ્નલો લગાવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૭ ઓગસ્ટ ૨૪, હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નવ પોર્ટ યુઝર્સ અને સરકારી એજન્સીઓને જણાવવામાં આવે છે કે ભારતીય હવામાન વિભાગ તરફથી તા. ૨૭.૦૮.૨૦૨૪ ના રોજ સવારે ૦૫:૩૦ કલાકે મળેલી પોર્ટ ચેતવણી મુજબ જામનગર ગ્રુપ ઓફ પોર્ટસના બંદરો પરથી લોકલ કોશનરી સિગ્નલ (એલ.સી.-૩) આગામી સૂચના ન મળે ત્યાં સુધી ફરકાવવામાં આવ્યું છે.

તેજ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર પણ ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા છે, તેમ બંદર અધિકારીશ્રી, ગુજરાત મેરી ટાઇમ બોર્ડ, જામનગર ગ્રુપ ઓફ પોર્ટસની યાદીમાં જણાવવામાં આવ્યું છે.