જામનગર રાજગોર ફળીમાં વકીલના સ્કુટરમાં તોડફોડ

0
401

જામનગરમાં રાજગોર ફળી વિસ્તારમાં એક એડવોકેટના સ્કૂટરમાં કોઈ શખ્સો તોડફોડ કરી ગયા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ઓગસ્ટ ૨૪, જામનગર રાજગોરફળી વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલા એક એડવોકેટના એકટીવા સ્કૂટરમાં કોઈ શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે તોડફોડ કરનાર શખ્સને પોલીસ શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વ્રજવિહાર રાજમોતી ટાઉનશિપમાં રહેતા અને વકીલાત નો વ્યવસાય કરતા નિપુલભાઈ હેમશંકરભાઈ બારોટ કે જેમણે પોતાનું એકટીવા સ્કૂટર ૧૫ મી ઓગસ્ટના સાંજના સમયે રાજગોર ફળી વિસ્તારમાં પાર્ક કર્યું હતું, જ્યાં કોઈ અજ્ઞાત શખ્સોએ આવીને ધોકા પાઇપ જેવા હથિયારો વડે વાહનમાં તોડફોડ કરી નાખી, નુકસાની પહોંચાડી હતી. જેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે, અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે આરોપીને શોધવા માટે પોલીસે સીસીટીવી કેમેરાની મદદ લીધી છે.