જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ રામેશ્વર મંદિર ખાતે વૃક્ષા રોપણ કર્યું

0
2097

‘એક પેડ માઁ કે નામ’

ધારાસભ્ય રીવાબા જાડેજા એ રામેશ્વર મંદિર ખાતે વૃક્ષારોપણ કર્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જુલાઈ ૨૪ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશભરના નાગરિકોને ‘એક પેડ માઁ કે નામ’ નું સૂત્ર સાર્થક કરીને પ્રત્યેક વ્યક્તિ એ વૃક્ષારોપણ કરવાનો ભ અનુરોધ કરાયો છે.જેની અમલવારીના ભાગરૂપે ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા આજે વૃક્ષારોપણ કરાયું હતું.

જામનગર વોર્ડ નંબર -પ માં આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય રિવાબા જાડેજાએ  વિશાળ કાર્યકરો સાથે  મહાદેવના સાનિધ્યમાં ‘એક પેડ માઁ કે નામ’ નું શીર્ષક સાર્થક કરવા માટે વૃક્ષારોપણ કર્યું હતું, તેમજ જામનગરની જનતાને વૃક્ષારોપણ કરવા માટે અનુરોધ કર્યો છે.