ગોંડલના સિહની ગર્જના ગાંધીનગરમાં સંભળાણી.

0
1192

ગોંડલના સિહની ગર્જના ગાંધીનગરમાં સંભળાણી.

હાલની કોરોના મહામારી ના ભરડામાં માણસો હોમાઈ રહ્યા છે ત્યારે જે ને  ખોબલે ખોબલે મત આપેલ છે તેવો ભૂર્ગભમાં ઉતરી ગયા છે. હોસ્પિટલમાં ડોકાવું તો ઠીક પણ ટેલીફોન ઉપાડવાની પણ તસદી લેતા નથી તેને ગોંડલના સિંહ પાસેથી શીખ લેવા જેવી ખરી

ગોંડલ શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં અવારનવાર ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો હોય તેમજ રેમડેસિવિર ઇન્જેક્શન જલ્લાદ પ્રમાણે મળતા ન હોય તેના કારણે કોરોના દર્દીની હાલત કફોડી બની રહી હોય તે મુદ્દે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વહીવટી તંત્રના પસીના છોડાવી દીધા છે.

જયરાજસિંહ જાડેજાએ રાજકોટ કલેકટર કચેરી સામે જ આમરણ ઉપવાસની ચીમકી આપવામાં આવતા ગાંધીનગર સહિતનું વહીવટ તંત્ર  ઘણધણી ઉઠયું હતું.

રાજકોટ કલેકટર એ તાત્કાલિક અસરથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અધિક કલેકટર ની મીટીંગ બોલાવી મધ્યસ્થી કરી ગોંડલ શહેર ને ઓક્સિજનનો પૂરતો જથ્થો અને રેમડેસિવીર ઇન્જેક્શન મળતા રહેશે તેવી ખાતરી આપ્યા બાદ આંદોલન મોકૂફ રહ્યું હતું

આ બનાવના પગલે રાજકોટ કલેકટર રેમ્યા મોહનની જયરાજસિંહ જાડેજા સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી બાદમાં કલેક્ટરે જયરાજસિંહ જાડેજા અને અધિક કલેકટર જે.કે.પટેલ ની મીટીંગ બોલાવીને જણાવેલ કે ગોંડલ શહેરને પૂરતું ઓક્સિજન અને ઇન્જેક્શન જથ્થો મળતો રહેશે તેવી ખાતરી બાદ જયરાજસિંહ જાડેજાએ આંદોલન મોકૂફ રાખ્યું હતું અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો