જામનગરમાં આડેધડ ઘોડેશ્વારી કરાવતા ઘોડાગાડી વાળાઓ પર તવાઈ

0
3542

જામનગરમાં આડેધડ ઘોડેશ્વારી કરાવતા ઘોડાગાડી વાળાઓ સામે તંત્ર ની લાલ આંખ

  • પાંચ ઘોડા ગાડીઓ કબ્જે કરી લઈ બેડેશ્વર ના ઢોરના ડબ્બામાં મોકલી દેવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જૂન ૨૪, જામનગર શહેરમાં ગેમઝોન બંધ કરાવ્યા પછી ઘોડાગાડી વાળાઓનો ત્રાસ વધી ગયા પછી જામનગર મહાનગર પાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી કરી હતી, અને પાંચ ઘોડાગાડી કબ્જે કરી લીધી છે.જામનગર શહેરમાં તળાવની પાળ ઉપર તેમજ ડીકેવી સર્કલ, પંચવટી સર્કલ સહિતના વિસ્તારમાંથી ગઈકાલે પાંચ ઘોડા ગાડીઓ કબજે કરી લીધી છે અને બેડેશ્વર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં મૂકી દેવાય છે આ ઉપરાંત શહેરમાં હજુ પણ ઘોડાગાડી વાળાઓનો ત્રાસ જોવા મળે તો તે અંગે સર્વે કરવામાં આવી રહ્યું છે.