જામનગર રામેશ્વરનગરમાં ૧૭ વર્ષના તરૂણનો આપધાત

0
7333

જામનગરના રામેશ્વર નગરમાં રહેતા ૧૭ વર્ષના તરુણનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જૂન ૨૪ જામનગર માં રામેશ્વર નગર નજીક માટેલ ચોકમાં રહેતા ૧૭ વર્ષીય તરુણે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના રામેશ્વર નગર માટેલ ચોકમાં રહેતા અને કડિયા કામની છૂટક મજૂરી કરતા ધ્રુવ વસંતભાઈ ચોટલીયા નામના ૧૭ વર્ષના તરુણે ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

જે બનાવ અંગે મૃતક ની માતા અનિતાબેન વસંતભાઈ ચોટલીયા એ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ આર.પી અસારી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.