જામનગરના સણોસરા ગામે સગા ભાઈઓ વચ્ચે ધિગાણું : પાંચ ને ઇજા

0
9606

લાલપુર તાલુકાના સણોસરા ગામમાં બે સગા ભાઇના પરિવારો વચ્ચે જમીનના પ્રશ્ન ધીંગાણું : પાંચ ને ઇજા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ જૂન ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના સણોસરા ગામમાં આહીર પરિવારના બે ભાઈઓ વચ્ચે જમીનના પ્રશ્ને ધીંગાણું થયું હતું, અને બંને પક્ષે સામ સામે હુમલા કરાતાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થઈ છે, અને તમામને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. લાલપુર નો પોલીસ કાફ્લો દોડતો થયો છે, અને સણોસરા ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતા આહિર જ્ઞાતિના ગાગલિયા પરિવારના બે ભાઈઓ વચ્ચે જમીનના પ્રશ્ને છેલ્લા કેટલાક સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. જે મામલે ગઈકાલે રાત્રે બંને ભાઈઓ ના પરિવારના સભ્યો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હતું, અને ધોકા પાઇપ જેવા હથિયારો વડે સામસામમાં હુમલા કરાયા હતા.

જે મારામારીના બનાવવા બંને પક્ષોની કુલ પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે, અને તમામને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલાના બનાવની જાણ થતાં લાલપુરના પીએસઆઇ. એ.સી. ગોહિલ અને તેમનો સ્ટાફ સણોસરા ગામે પહોંચી ગયો હતો, તેમજ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયો છે, અને તમામના નિવેદનો નોંધી ફરિયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સણોસરા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.