જામનગર જિલ્લાનાં વૈશાલીબેન નંદાણીયા મહિલા પોલીસકર્મીએ સર કર્યા ‘શિખર’

0
2458

જામનગર જિલ્લાના લાલપુર પોલીસ મથકનાં મહિલા પોલીસકર્મીએ સર કર્યા ‘શિખર’

  • કાશ્મીર અને પ. બંગાળમાં પર્વતારોહણનાં અભ્યાસક્રમમાં ઉતીર્ણ થનાર રાજ્યનાં એકમાત્ર મહિલા પર્વતારોહક વૈશાલીબેન નંદાણીયાનું સન્માન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જૂન ૨૪  જામનગર જિલ્લાનાં લાલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વૈશાલીબેન નંદાણીયાએ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પર્વતારોહણની એકમાત્ર સંસ્થા સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા જમ્મુકાશ્મીરનાં પહેલગામની જવાહર ઇન્સ્ટીટ્યૂટ ઓફ માઉન્ટેનીયરીંગ તથા પ.બંગાળનાં દાર્જીલીંગનાં હિમાલય માઉન્ટેનીયરીંગ ઇન્સ્ટીટ્યૂટ બંનેમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ કોર્ષમાં શારીરીક કસોટી તથા ઇન્ટર્વ્યૂમાં એ. પ્લસ ગુણાંક મેળવી ગુજરાતમાંથી એકમાત્ર મહિલા પર્વતારોહી તરીકે પસંદગી પામેલ છે.
જે બદલ જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તેઓને જિલ્લા પોલીસ વતી અભિનંદન પાઠવી સન્માનીત કરવામાં આવ્યા હતા.જે જામનગર પોલીસ માટે અતિ ગૌરવ ની બાબત છે.