જામનગર નાગનાથગેટ પાસે ખવાસ યુવાન પર હુમલા પ્રકરણમાં પાંચ સામે ગુનો નોંધાયો

0
6265

જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં એક યુવાનના હાથ પગ ભાંગી નાખનાર પાંચ હુમલાખોરો સામે ગુનો નોંધાયો

  • (૧) રાજેશ પ્રેમજીભાઈ બારૈયા (૨) દેવેન પ્રેમજીભાઈ બારૈયા (૩) કપિલ બારૈયા (૪) ધમો કોળી (પ) ટીનાભાઇ મિસ્ત્રી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮, જામનગરમાં અંબાજીના ચોક વિસ્તારમાં રહેતા એક યુવાન પર સોમવારે રાત્રે હુમલો કરાયો હતો, અને તેના હાથ પગ ભાંગી નાખી ફેક્ચર કરાયા હતા. જે હુમલા ના બનાવો અંગે પોલીસે પાંચ હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે.

જામનગરમાં નાગનાથ ગેઇટ નજીક અંબાજીના ચોક વિસ્તારમાં રહેતા કપિલ નરેન્દ્ર ભાઈ સોઢા નામના ૩૯ વર્ષના યુવાને પોતાના હાથ પગ માં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે રાજેશ પ્રેમજીભાઈ બારૈયા, દેવેન પ્રેમજીભાઈ બારૈયા, કપિલ બારૈયા, ધમો કોળી, અને ટીનાભાઇ મિસ્ત્રી વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

જે પાંચે આરોપીઓ સામે પોલીસે આઇપીસી કલમ ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪,૫૦૬-૨ તેમજ જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે.ફરિયાદી યુવાનને આજથી ચાર વર્ષ પહેલાં આરોપી રાજેશ ની પત્ની સાથે સંબંધો હતા, જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.