જામનગર સહિત રાજ્યભરમાં કોવીડ હોસ્પિટલમાં ફાયર સેફટી ચકાસવા આદેશો છૂટ્યા. 

0
881

જામનગર સહિત રાજ્યભરમાં કોવીડ હોસ્પિટલમાં ફાયર સેફટી ચકાસવા આદેશો છૂટ્યા. 

સુરતની આયુષ હોસ્પિટલ માં આગની ઘટના બાદ સરકાર એક્શનમાં.

સુરતમાં આયુષ હોસ્પિટલ ના આઈ.સી.યુ વોર્ડમાં આગ લાગતા 19 ક્રિટીકલ દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. 

આ આગ ની ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડ માં આવી ગઈ હતી રાજ્ય સરકારે ગુજરાત ની તમામ કોવીડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો ચકાસણી કરવા આદેશ કર્યો હતો

ગુજરાતમાં હોસ્પિટલમાં આગ દુર્ઘટના હવે કાંઈ નવી વાત રહી નથી સુરતની ઘટના રે રાજ્ય સરકારને દોડતી કરી દીધી છે આજની ઘટના બાદ રાજ્ય સરકારે ગુજરાત ની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનો ચકાસવા માટે આદેશ કર્યા હતો સરકારે સુચના આપી છે કે જે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવેલ ન હોય અને ફાયર NOC ન હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી છે. 

હાઇકોર્ટની ગાઇડલાઇન અને સરકારની વારંવાર સૂચનાને અવગણતી ખાનગી હોસ્પિટલ પર  કાયદેસરની કાર્યવાહીના એધાંણ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જે લોકોને અગાઉ નોટિસ પાઠવવામાં આવેલ હોય અને છતાય ફાયર સેફટી ના ઉપકરણો વસાવેલ ન હોય તેઓનું લિસ્ટ બનાવીને સરકારના ધ્યાને મુકવામાં આવશે તેવામાં મેડિક્લ લાયસન્સ અને બિલ્ડીંગ યુઝ પ્રમાણપત્ર રદ સુધીની કાર્યવાહી થશે. સરકારના આદેશ છૂટતા હોસ્પિટલ સંચાલક માં દોડાદોડી થવા પામી છે.