જામનગરમાં ખીજડા મંદિરનાં જિર્ણોદ્ધારનું અક્ષય તૃતીયા પર ખાતમુહૂર્ત

0
2803

જામનગરમાં ખીજડા મંદિરનાં જિર્ણોદ્ધારનું અક્ષય તૃતીયા પર ખાતમુહૂર્ત

  • મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજનાં સાંનિધ્યમાં જામસાહેબ સહિતનાં મહાનુભાવો દ્વારા શીલા પૂજન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ મે ૨૪, ‘છોટીકાશી’ જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયની આદ્યપીઠ શ્રી ૫- નવતનપુરી ધામ ખીજડા મંદિરનો ૪૦૦ વર્ષ પછી જિર્ણોદ્ધાર થવા જઇ રહ્યો છે. આજે અક્ષય તૃતીયાનાં પરમ શુકનવંતા દિને ખીજડા મંદિરનાં મહંત શ્રી આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજનાં આશિષછત્ર હેઠળ શીલાપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.જામનગરનાં પૂર્વ રાજવી જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજા , શ્રી ૫ મહામંગલ પૂરી ધામ- સુરતનાં શ્રી ૧૦૮ સૂર્યનારાયણજી મહારાજ, શ્રી સદાનંદજી મહારાજ, શ્રી અમૃતરાજજી મહારાજ, શ્રી જગતરાજજી મહારાજ, શ્રી ટહલકિશોરજી મહારાજ, સહિતના સંતો મહંતો અને ઉપસ્થિત સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ સમારોહ સંપન્ન થયો હતો.વિશ્વભરભમાંથી ઉમટેલા પ્રણામી ધર્મનાં હજારો અનુયાયીઓએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.