જામનગરમાં તું અમારા દુશ્મનો માણસ છે , તેમ કહી યુવાન પર પટ્ટાવાળી કરાઈ

0
6121

જામનગરમાં વૈશાલી નગરમાં રહેતા યુવાન પર પટ્ટાવાળી કરાઈ: ત્રણ શખ્સોએ હુમલો કર્યા ની ફરિયાદ

  • તું અમારા દુશ્મનો માણસ છે, તેમ કહી બેલ્ટ વડે માર મારતાં કાન તૂટી જવાથી ટાંકા લેવા પડ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ એપ્રિલ ૨૪ જામનગરમાં વૈશાલી નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર ત્રણ શખ્સોએ પટ્ટા વડે હુમલો કરી કાન તોડી નાખ્યો હતો, અને ટાંકા લેવા પડ્યા છે. તું અમારા દુશ્મનનો માણસ છે, તેમ કહી હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વૈશાલી નગર શેરી નંબર -૬ માં રહેતો જયદીપ મનજીભાઈ રાઠોડ નામનો ૨૬ વર્ષનો યુવાન ગઈકાલે પોતાની બહેનને તેડવા માટે એકટીવા લઈને મામાને ઘેર જઈ રહ્યો હતો.

જે દરમિયાન રસ્તામાં મુન્નો વાઘેલા અને તેના બે સાગરીતોએ અટકાવ્યો હતો, અને તું અમારા દુશ્મનો માણસ છો, તેમ કહી ખાર રાખી પટ્ટા વડે તેમજ ઢીકાપાટુથી માર માર્યો હતો. જેથી તેનો કાન તૂટી જતાં જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, અને ટાંકા લેવા પડ્યા છે.આ બનાવ અંગે જયદીપ રાઠોડએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં મુન્નો વાઘેલા અને તેના બે સાગરીતો સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે.