જામનગરમાં કાર સળગાવી નાખ્યાની શંકાના આધારે યુવાનના હાથ પગ ભાંગી નાખ્યા

0
5103

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવત ના કારણે હિચકારો હુમલો

  • કાર સળગાવી નાખ્યા ની શંકાના આધારે ચાર શખ્સોએ હાથ પગ ભાંગી નાખ્યાની પોલીસ ફરિયાદ
  • આરોપી : (૧) હદુ ઝાલા (૨) જયદીપ ઝાલા (૩) વિક્કી કાપડી (૪) એક અજાણ્યો ઈસમ રહે. બધા જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૯ એપ્રિલ ૨૪ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતનું મન દુઃખ રાખીને ચાર શખ્સોએ હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આરોપીઓના પરિવારની કારને આગ ચાંપી દેવાઇ હતી, જેની શંકા ના આધારે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક નિલકમલ સોસાયટી શેરી નાં-૨ માં રહેતા અને ખેતી કામ કરતા સુરેન્દ્રસિંહ ઉર્ફે શક્તિસિંહ નવલસિંહ જેઠવા નામના ૨૪ વર્ષના યુવાન પર ખોડીયાર કોલોની ગોળ બંગલા પાસે ગઈકાલે સાંજે જયદીપ ઝાલા, હદુ ઝાલા, વિકી કાપડી અને તેઓના ચોથા સાગરીત વગેરેએ મળીને સુરેન્દ્રસિંહ ઉપર લોખંડ ના પાઇપ, લાકડાના ધોકા સહિતના હથીયાર વડે હુમલો કરી દઇ બંને હાથ પગમાં ફેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર થોડા દિવસો પહેલાં આરોપી જયદીપ ઝાલા ના કુટુંબીભાઈ નિરુભા ઝાલાની કારને કોઈએ સળગાવી નાખી હતી, જે કાર ફરિયાદી યુવાને સળગાવી હોવાની શંકાના આધારે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. આથી  સીટી સી -ડિવિઝન પોલીસ દ્વારા આઈ.પી.સી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ (૧) મુજબ  ના પી.એસ.આઇ.એચ. પીપળીયા વધુ તપાસ ચલાવે છે.