જામનગરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને ફૂલહાર કરાયા

0
1641

જામનગરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે ધારાસભ્ય- મેયર સહિતના મહાનુભાવો દ્વારા બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ એપ્રિલ ૨૪ જામનગરમાં આજે ડો. બાબા સાહેબ આંબેડકરને જન્મ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને શહેરના મહાનુભાવના હસ્તે ફૂલહાર કરાયા હતા, ઉપરાંત કેક નું કટીંગ કરાયું હતું.

જામનગરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, સાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી , જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા, દલિત સમાજના અગ્રણી બાબુભાઈ ચાવડા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને સૌ પ્રથમ તમામ મહાનુભાવો દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલ હાર કરવામાં આવ્યા હતા, જ્યારે મહાનુભાવોના હસ્તે કેક નું કટીંગ કરાયું હતું.