જામનગર માં બે દિવસ પહેલાં લાપતા બનેલા યુવાનનો મૃતદેહ કૂવામાંથી સાંપડ્યો

0
3730

જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં બે દિવસ પહેલાં લાપતા બનેલા એક યુવાનનો મૃતદેહ કૂવામાંથી સાંપડ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ એપ્રિલ ૨૪ જામનગરમાં હર્ષદમીલની ચાલી નજીક મહાવીર નગર વિસ્તારમાં રહેતો ૪૨ વર્ષીય યુવાન બે દિવસ પહેલાં લાપતા બન્યો હતો, જેનો મૃતદેહ આજે બપોરે કુવામાંથી સાંપડ્યો છે. જેને ફાયર બ્રિગેડે બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે પંચમહાલ જિલ્લાના ખારોડ ગામનો વતની કીરતારસિંહ છત્રસિંહ બારીયા નામનો ૪૨ વર્ષનો યુવાન કે જે બે દિવસ પહેલાં લાપતા બન્યો હતો, અને તેના પિતા દ્વારા ગુમ થયો હોવાની અને તેના ઘરની નજીક જ આવેલા કુવામાં પડી ગયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

જેથી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા પરમદીને તેની કુવામાં શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પતો સાંપડ્યો ન હતો. પરંતુ બે દિવસ બાદ આજે બપોરે તેનો મૃતદેહ ૭૦ ફૂટ ઊંડા પાણી ભરેલા કુવામાં મૃતદેહ તરતો હોવાનું ધ્યાનમાં આવતાં ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો છે, અને સીટી એ. ડિવિઝન પોલીસને સુપ્રત કરી દીધો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.