જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફીત્ર ના તહેવાર ની ઉજવણી કરાઈ

0
1596

જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફીત્ર ના તહેવાર ની ઉજવણી કરાઈ

  • જામનગરની ઇદગાહ મસ્જિદમાં નમાઝ અદા કરીને એકબીજાને ઇદ ની મુબારકબાદી પાઠવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ એપ્રિલ ૨૪ જામનગર શહેર સહિત સમગ્ર જીલ્લામાં આજે ગુરૂવાર ના રોજ ઇદ-ઉલ-ફિત્ર ના પવિત્ર પર્વની ભાઇચારા ની અનોખી ભાવના સાથે હર્ષોલ્લાસભેર શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.

મુસ્લિમો ભાઇઓ દ્વારા મહાન પવિત્ર પર્વ રમઝાન માસના ૩૦ રોઝા પૂર્ણ કર્યા બાદ, આજે ગુરૂવાર ના રોજ ઇદની આનંદ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી. જામનગર ની ઇદગાહ મસ્જિદ તથા અલગ-અલગ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફીત્ર ની નમાઝ અદા કરવામાં આવી હતી, તેમજ નમાઝ અદા કર્યા બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ ની શુભેચ્છા પણ પાઠવી હતી. અને હર્સોલાસ ભર્યા વાતાવરણમાં ઇદના મહાન પવિત્ર પર્વની ઉજવણી કરાઈ હતી.