જામનગર ખોડીયાર કોલોનીમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ સાંપડ્યો

0
2430

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ સાંપડ્યો: બીમારીના કારણે મૃત્યુ નીપજ્યાનું અનુમાન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ એપ્રિલ ૨૪ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ સાંપડ્યો હતો. પોલીસે મૃતક મહિલાની ઓળખ કરી છે, અને બીમારીના કારણે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ નીકળ્યું છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં પેટ્રોલ પંપ નજીકના ભાગમાં એક મહિલા મૃત હાલતમાં પડેલા છે, તેવી માહિતી પોલીસને મળતાં સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.પી. જોશી તેમજ એ.એસ.આઈ. ફિરોઝભાઈ દલ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં મૃતક મહિલા નું નામ સકુબેન દેવરાજભાઈ જાદવ ઉંમર વર્ષ ૬૧ અને મુંબઈ દવા બજાર કોલોની વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જેના પરિવારને શોધીને મૃતદેહનો કબ્જો શોપી દીધો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન બીમારીના કારણે તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું તારણ નીકળ્યું છે.