જામનગર : લાલપુરના કોલેજીયન યુવાનનો અભ્યાસના ભારણથી આપધાત

0
3177

લાલપુરના કોલેજીયન યુવાને અભ્યાસના ભારણ થી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં પરિવારજનોમાં શોકનું મોજું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ માર્ચ ૨૪ જામનગર જિલ્લાના લાલપુરમાં રહેતા અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક કોલેજીયન યુવાને અભ્યાસના ભારણ થી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર માં ગોહિલવાસ વિસ્તારમાં રહેતા અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા દિવ્યેશ વાલજીભાઈ સિંગરખીયા નામના ૨૦ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. આ બનાવને લઈને પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

જે બનાવ અંગે મૃતકના દાદા વીરાભાઈ ગોવિંદભાઈ સિંગરખીયાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તપાસની પોલીસ હેડ કોન્સ્ટેબલની પૂછપરછ દરમિયાન મૃતક યુવાન કે જે અભ્યાસના ભારણ થી કંટાળ્યો હતો, અને તેના કારણે તેણે અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં તે બચી ગયો હોવાનું મૃતકના દાદાએ જણાવ્યું હતું. ત્યારબાદ ગઈકાલે ફરીથી તેણે આપઘાત નું પગલું ભરી લીધું છે, જે સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.