જામનગરમાં પિતા , પુત્ર અને દાદા એક સાથે ત્રણ પેઢી દીક્ષા લેશે

0
3880

જામનગર માં યુવક તેના પિતા અને દાદા એક સાથે ત્રણ પેઢી દીક્ષા લેશે, આજે નીકળ્યો વરસીદાન નો વરઘોડો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૦ માર્ચ ૨૪, જામનગર મા શિહોર પરિવાર વાળા એક સાથે ત્રણ પે એ સાંસારિક જીવન છોડી ને સંયમ નો માર્ગ પસંદ કર્યો છે.આજે તેમનો વરસીદાન નો વરઘોડો નીકળ્યો હતો.જામનગર મા રહેતાં જૈન વ્યાપારી પેરીવાર નાં વિરલ તેના પિતા કૌશિકભાઈ અને વિરલ નાં દાદા અજીતભાઈ મહેતા એમ એક સાથે ત્રણ પેઢી દીક્ષા અંગીકાર કરનાર છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગત તારીખ ૭ ના પરમ પૂજ્ય દીપ રત્નસાગરજી મ. સ ની.નીશ્રા માં દીક્ષાર્થીઓ નું બહુમાન અને વિદાય સમારોહ યોજાયો હતો.જ્યારે આજે સવારે દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૫ ના વિમલનાથ દેરાસર થી વરદાન નો વરઘોડો નીકળ્યો હતો જેમાં દીક્ષા ગ્રહણ કરનાર ત્રણેય પિતા પુત્ર અને પૌત્ર ઉપરાંત સમાજ નાં આગેવાન, જૈનો જોડાયા હતા.જે શહેર નાં વિવિધ માર્ગે ઉપર થી પસાર થઈ ચાંદી બજાર મા સંપન્ન થયો હતો.આ પછી દિક્ષાર્થીઓ.નાં કપડા રંગવાની ની વિધિ અને સાધારમિક ભક્તિ નો કાર્યક્રમ યોજાયો હતો. હવે આગામી તારીખ ૧૩ ના રોજ દીક્ષા અંગીકાર વિધિ નો કાર્યક્રમ શરૂ થશે.અત્રે ઉલ્લેખનીય છે કે વિરલ કુમાર.ના માતા એ પણ દીક્ષા અંગીકાર કર્યો છે. જ્યારે શિહોરા પરિવારના કુલ ૧૦૦ લોકો દીક્ષા ધારણ કરી ચૂક્યા છે.