જામનગર કાલાવડની ૨૧ વર્ષની પરણિત યુવતી લાપતા

0
4115

કાલાવડ ની ૨૧ વર્ષની પરણિત યુવતી લાપતા બની જતાં ગુમનોંધ કરાવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ ફેબ્રુઆરી ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન માં રહેતી ૨૧ વર્ષીય પરણિત યુવતી એકાએક લાપતા બની જતાં તેના પતિ દ્વારા ગુમનોંધ કરાવાઈ છે, અને કાલાવડ ટાઉન પોલીસ તેણીને શોધી રહી છે.કાલાવડ ટાઉનમાં કાશ્મીર પરા વિસ્તારમાં રહેતા સતિષભાઈ મનોજભાઈ પરમાર નામના વાંજા જ્ઞાતિના યુવાનની પત્ની હિરલબેન (ઉંમર વર્ષ ૨૧) કે જે ગઈ કાલે સવારે ૧૧.૦૦ વાગ્યાના અરસામાં કાલાવડના બસ સ્ટેન્ડ પાસે ગઈ હતી, અને ત્યાંથી એકાએક લાપતા બની ગઈ છે.

પરિવારજનો દ્વારા અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ તેણીનો કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે કાલાવડ પોલીસમાં ગમ નોંધ કરાવાઈ છે. જે અંગેની કોઈને જાણકારી મળે તો કાલાવડ પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.ડી. ઝાપડીયા (૮૩૨૦૮૦૮૦૫૮) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.