જામનગર ભાજપના વોર્ડ મહામંત્રી નું રહસ્યમય સંજોગોમાં અગ્નિસનાન

0
9025

જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક દુકાનદારનો પોતાની દુકાનમાં રહસ્યમય સંજોગોમાં અગ્નિસનાન દ્વારા આપઘાત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ ફેબ્રુઆરી ૨૪, જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક દુકાનદારે કોઈ અગમ્ય કારણોસર પોતાની દુકાનમાં કાયા પર પેટ્રોલ રેડી અગ્નિસ્તાન દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.આ બનાવની વિગત કેવી છે કે જામનગરના રામેશ્વર નગર નજીક ગાયત્રી નગર શેરી નંબર ત્રણ માં રહેતા અને પંચવટી વિસ્તારમાં દુકાન ચલાવતા ભાગ્યદીપસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના ૨૫ વર્ષના યુવાને પોતાની દુકાનમાં કોઈ અગમ્ય કારણસર પોતાની કાયા પર પેટ્રોલ છાંટી અગ્નિસ્તાન કરી લીધું હતું.જે બનાવ અંગે ૧૦૮ ની ટીમને જાણ થતાં ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને ભાગ્યદીપસિંહ ને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ કૃષ્ણદીપસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.