જામનગર કામદાર કોલોનીમાં પાણી છાંટી રહેલા સીક્યુરીટી ગાર્ડ બીજા માળેથી પટકાતા અપમૃત્યુ

0
2282

જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં બીજા માળે પાણીનો છંટકાવ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડ નું અકસ્માતે નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ જાન્યુઆરી ૨૪, જામનગરમાં કામદાર કોલોની માં રહેતા એક સિક્યુરિટી ગાર્ડ નવા બંધાઈ રહેલા એક બિલ્ડીંગના બીજા માળે પાણીનો છંટકાવ કરી રહ્યા હતા, દરમિયાન અકસ્માતે બીજા માળેથી નીચે પટકાઈ પડ્યા હતા, અને ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.

આ બનાવની હકીકત એવી છે કે જામનગરમાં કામદાર કોલોની શેરી નંબર-૩ માં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મેરામણભાઇ કરસનભાઈ પરમાર (ઉંમર વર્ષ ૬૫) કે જેઓ ગઈકાલે કામદાર કોલોની શેરી નંબર ત્રણમાં આંગન એકસોટીસ નામના બિલ્ડિંગમાં બીજા માળે પાણીનો છંટકાવ કરી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે તેઓ નો પગ લપસી પડતાં નીચે પટકાયા હતા અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર દિપકભાઈ મેરામણભાઇ પરમારએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.