જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજાના જનસેવા કેન્દ્ર નો સંતો-મહંતોના હસ્તે શુભારંભ

0
2193

જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજાના જનસેવા કેન્દ્ર નો સંતો-મહંતોના હસ્તે શુભારંભ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૧ જાન્યુઆરી ૨૪ જામનગર : ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા ગુરુદ્વારા ચોકડી પાસે કુબેર કોમર્શિયલ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે જનસેવા કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. આ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્ય જામનગરના આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવીપ્રસાદજી મહારાજ, મોટી હવેલીના પૂ. મહારાજશ્રી, સ્વામિનારાયણ સંપ્રદાય ના સ્વામી ચત્રભૂજદાસજી, નવતનપુરી ધામના મહંતશ્રી ના હસ્તે દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યું હતું. આ સાથે અયોધ્યા થી આવેલા પવિત્ર કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આજ ના આ સમારોહમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો, ભાજપના આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જનસેવા કેન્દ્રના ઉદ્ઘાટન સાથે આજે આખા દિવસ માટે હસ્તકલા તથા પરંપરાગત ટ્રેડના કારીગરો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અંતર્ગત મેગા કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સમારોહમાં રિવાબા જાડેજા એ સૌનું સ્વાગત કરી તેમના જનસેવા કેન્દ્રમાં અરજદારો, લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન-સહકાર મળી રહેશે તેવી વ્યવસ્થા સુવિધાની વિગતો રજૂ કરી હતી. ઉપસ્થિત સંતો-મહંતોએ રિવાબા જાડેજા ના પ્રજાલક્ષી અભિગમ ને બિરદાવી આશીર્વચન આપ્યા હતાં. સમારોહનું સંચાલન બિમલ ઓઝા એ કર્યું હતું.