જામનગર સર્મપણ સર્કલ પાસેથી રીક્ષાની ઉઠાંતરી : ભારે કરી

0
1784

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક સૌચાલય પાસે પાર્ક કરેલી એક રીક્ષાની ચોરી થઈ ગયા ની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ જાન્યુઆરી ૨૪ જામનગરમાં રહેતા એક રીક્ષા ચાલકે પોતાની રીક્ષા સમર્પણ સર્કલ નજીક સૌચાલય પાસે પાર્ક કરી હતી, જ્યાંથી કોઈ તસ્કર ચોરી કરી લઇ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯’ નહેરુનગર શેરી નાં ૧૦ માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા નટવરલાલ નાનજીભાઈ પરમારે પોતાની રીક્ષા સમર્પણ સર્કલ નજીક સૌચાલયની બહાર પાર્ક કરી હતી, જ્યાંથી કોઈ તસ્કરો રૂપિયા ૪૦ હજારની કિંમતની રીક્ષા ની ચોરી કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.