જામનગરમાં હિન્દુ સેના દ્વારા સાંસદ અસદુદીન ઓવૈસીની જીભ કાપનારને રૂપિયા ૧૧ લાખના ઇનામની જાહેરાત

0
6810

જામનગરમાં હિન્દુ સેના દ્વારા સાંસદ અસદુદીન ઓવૈસીની જીભ કાપનારને રૂપિયા ૧૧ લાખના ઇનામની જાહેરાત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ જાન્યુઆરી ૨૪ તાજેતરમાં એઆઈએમઆઈએમ ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રામ મંદિરને લઈ ભડકાઉ ભાષણબાજી શરૂ કરી છે. જેને લઇ દિલ્હી પોલીસમાં હિન્દુ સેનાએ લેખિત ફરિયાદ કરીછે. ઓવૈસી પોતે બાબરી મસ્જિદને શહીદ કરી દીધી છે, અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ નો ઉલાળીયો કરી કહે છે કે અયોધ્યામાં રામ મંદિર બનાવવાની પેરવી થઈ રહી છે, જે બિલકુલ ગલત છે અને બાબરી મસ્જિદ આપણા પાસેથી છીનવી લીધી છે. ખરેખર કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામલલાની જગ્યા પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, અને મુસ્લિમ પક્ષકારોને પણ તેમને અલગથી જગ્યા ફાળવી આપેલી છે.

પરંતુ અસદુદીન ઓવૈસી મુસ્લિમ સમુદાયના યુવાનોને ભડકાવી રહ્યા છે. જે દેશમાં સાંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવી રહ્યા છે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રામ મંદિર બની રહ્યું છે, ત્યારે આ ઔવેસી સંવિધાનનું સરેઆમ અપમાન કરી રહ્યા છે, અને ગમે ત્યારે સનાતન હિન્દુઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ અને બે કોમ વચ્ચે ઉશ્કેરણી જનક વાતાવરણ ઊભું કરીને દેશમાં અરજકતા ફેલાવવાની કોશિશ કરી સંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવી રહ્યા છે.

ત્યારે આવા લોકોની બોલતી બંધ કરવા ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા આ ઔવેસીની જીભ કાપી નાખનારને રૂપિયા ૧૧ લાખનું ઇનામ જાહેર કર્યું છે, અને ભગવાન શ્રી રામ વિરુદ્ધ તથા રાષ્ટ્ર વિરુદ્ધ બફાટ કરતાં આવા લોકો સામે ધારાધોરણ સર કાર્યવાહી કરવા માંગ કરી છે.