જામજોધપુરના પટેલ વેપારીનો પરિવારના ટેન્શનમાં આપઘાત

0
1995

જામજોધપુરના વેપારીનો પરિવારના ટેન્શનમાં ગળાફાંસા દ્વારા આપઘાત

  • મહિના પહેલાં નાના ભાઈએ આપઘાત કરી લીધા પછી તેના વિયોગમાં અને પરિવારના ટેન્શનમાં ભરેલું અંતિમ પગલું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ ડીસેમ્બર ૨૩  જામનગર જિલ્લાના જામજોધપુરમાં સ્ટેશન પ્લોટ સોસાયટીમાં રહેતા એક વેપારીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત કરી પોતાની જીવાદોરી ટૂંકાવી છે. પોતાના નાનાભાઈએ ૪ મહિના પહેલા આપઘાત કર્યો હતો, જેના કારણે તેમજ પરિવારના ટેન્શનના કારણે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા જયેશભાઈ ચંદુલાલ ખાંટ નામના પટેલ વેપારીએ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમા ચાદર બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના સંબંધી હિરેનકુમાર ભગવાનજીભાઈ પટેલે પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નોન કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકના નાના ભાઈએ આજથી ચાર મહિના પહેલાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી, જે બનાવ પછી મોટાભાઈ જયેશભાઈ ગુમસૂમ રહેતા હતા, તેમ જ પરિવારના ટેન્શન ના કારણે પોતે પણ આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે કરુણાંતીકા છવાઈ છે.