જામનગર જિલ્લાના પોલીસ બેડા માંથી નિવૃત્ત થયેલા વધુ બે પોલીસ કર્મીઓને વિદાયમાન અપાયું

0
2987

જામનગર જિલ્લાના પોલીસ બેડા માંથી નિવૃત્ત થયેલા વધુ બે પોલીસ કર્મીઓને વિદાયમાન અપાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ ડીસેમ્બર ૨૩ જામનગર જિલ્લાના-પોલીસ બેડા માં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ કે જેઓ પરમદિને વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયા હતા, જેઓને ગઈકાલે જિલ્લા પોલીસવડા દ્વારા સન્માનિત કરીને વિદાયમાન અપાયું હતું.જામનગરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એએસઆઈ કિશોરસિંહ પ્રવિણસિંહ જાડેજા, (પોલીસ હેડ ક્વાર્ટર), તથા એએસઆઈ અજીતસિંહ શીવુભા જાડેજા (પોલીસ હેડ ક્વાર્ટર), તારીખ ૩૦.૧૧.૨૦૨૩ ના રોજ વયમર્યાદા ના કારણે સેવા નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ જિલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલૂ ની અધ્યક્ષતા માં પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં રાખવામાં આવ્યો હતો. જેમાં મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરાયા હતા, અને તેઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું.