જામનગરમાં ચોકીદારને વીજ આંચકો લાગવાથી નીચે પટકાતા મોત

0
1993

હાપામાં ચોકીદારને વીજ આંચકો લાગવાથી પટકાતા માથામાં ઈજા પહોંચતા મોત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ નવેમ્બર ૨૩ જામનગરના હાપા પાસે ટુ-વ્હીલર શો-રૂમના વર્ક શોપમાં ચોકીદારને ઈલેકટ્રીક શોટ લાગતા પટકાતા માથાના ભાગે ઈજા પહોંચતા ટુંકી સારવારમાં મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.શહેરના ગુલાબનગર રામ મંદિર વાળી શેરીમાં રહેતા રમેશભાઈ નરશીભાઈ ચૌહાણ (ઉ.વ.૫૫) નામના ખવાસ પ્રૌઢ ચોકીદારી તરીકે નોકરી કરતા હોય અને તા.૧૯ના રોજ સવારમાં હાપામાં યામાહાના શો-રૂમના વર્ક શોપમાં ચોકીદારને ઈલેકટ્રીક કેબલ વાયર પગમાં આવી જતા ઈલેકટ્રીક શોટ લાગવાથી જમીન પર પટકાવાથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાંજ્યાં ટુંકી સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ બનાવની હરીશભાઈ પરષોતમભાઈ ચૌહાણે પોલીસમાં જાહેર કરતાં જમાદાર ચંદ્રેશભાઈ જાટીયાએ મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો.